મનોરંજન

રોડ પર દર દર ભટકશે અભિમન્યુ,,કાયરવની કડવી વાતો સાંભળીને તૂટી જશે અક્ષરાનુ દિલ…

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ વર્ષોથી એક હિટ ટીવી સિરિયલ છે, જે લગભગ 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ સીરિયલમાં મેકર્સ હાલમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે.સ્ટાર કાસ્ટ સુધી પણ બદલાઈ ગઈ છેં. પરંતુ મેકર્સના દરેક ટ્વિસ્ટએ દર્શકોના દિલ જીતી લીધા છે.સીરિયલની સ્ટોરીમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા મુખ્ય ભૂમિકામાં છે.

અક્ષરા અને અભિમન્યુ બનીને બંને કલાકારોએ સિરિયલમાં જાણે આગ લગાવી દીધી છેં. હાલમાં આ દિવસોમાં સ્ટોરીમાં અક્ષરા અને અભિમન્યુનો ઈમોશનલ ટ્રેક ચાલી રહ્યો છે. બંને છ વર્ષ પછી કસૌલીમાં મળ્યા હતા અને હવે અભિ ઉદયપુર પાછો ફર્યો છે.પરંતુ આગળ સ્ટોરીમાં બીજો મોટો ટ્વિસ્ટ આવવાનો છે. ઉદયપુરમાં અભિમન્યુની હાલત ખરાબ થતી જોવા મળશે.

અભિમન્યુ રોડ પર દર દર ભટકશે

હાલના એપિસોડમાં અભિમન્યુ અક્ષરાની માફી માંગે છે, ત્યારે અક્ષુ તેને માફ કરવાનો ઇનકાર કરે છે અને તેથી અભિમન્યુ હાલમાં ખુબ જ દુઃખી છેં. આ સીરિયલમાં આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે જ્યારે અભિ ઘરે પહોંચે છે, ત્યારે રુહી તેને અક્ષરાનું ભજન સંભળાવે છે, જેના કારણે તે ખૂબ જ ભાવુક થઈ જાય છે અને ઘરમાં કોઈને મળ્યા વગર નીકળી જાય છે.

આ પછી અભિમન્યુ તેના દુઃખમાં ઘરે-ઘરે ભટકે છે અને પછી એક સમયે તે નીચે પણ પડી જાય છે. ત્યાં આસપાસના લોકો તેનું ધ્યાન રાખે છે. બીજી તરફ, ઘરે મંજરી અને આરોહી બંને અભિમન્યુ માટે ચિંતિત થઈ રહ્યા છે.

અભિમન્યુ તેના જુનિયર સામે ખૂબ રડશે.

હાલના એપિસોડમાં ખુબ જ ઇમોશનલ સીન બતાવવામાં આવી રહ્યા છેં..જ્યારે અભિમન્યુ રસ્તા પર પડેલો હોય છે, ત્યારે ત્યાં હાજર લોકો તેના ફોનથી ઘરે ફોન કરે છે, પરંતુ ફોન અભિના જુનિયરને લાગી જાય છે, ત્યારબાદ તેનો જુનિયર પણ તરત જ અભિમન્યુને લેવા પહોંચી જાય છે. અહીં અભિની આવી હાલત જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

કાયરાવ અક્ષરાને ઠપકો આપશે

બીજી તરફ, કસૌલીમાં અક્ષરાના ઘરે, બધા અભિમન્યુ વિશે જ વાત કરે છે. પહેલા નીલમ અમ્મા બધાને પૂછે છે કે શું ડોક્ટર જી ઘરે પહોંચ્યા છે કે નહીં?? અક્ષુ આનો જવાબ આપતો નથી.પછી અભિર પણ અભિનવને એ જ સ્વેટર પહેરવાનો આગ્રહ કરે છે જે અભિમન્યુ લાવ્યો હતો.

જોકે, અક્ષુ તેને એમ કરતા રોકે છેં. આ દરમિયાન, અક્ષરાને ખબર પડે છે કે કાયરાવને બિઝનેસમાં સફળતા મળી છે, જેના પછી તે તેને ફોન કરે છે પરંતુ કાયરાવ કોલ ડિસ્કનેક્ટ કરી દે છે. આ પછી અક્ષુ તેના બડે પાપા સાથે વાત કરે છે.

દરમિયાન, બડે પપ્પા, અક્ષરાનોં ફોન સ્પીકર પર મૂકીને કાયરાવને સભળાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કાયરાવ ગુસ્સે થઈ જાય છે અને અક્ષરાને ફોન પર કહે છે કે તમે જે લાઈનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે વર્ષો પહેલા બંધ થઈ ગઈ હતી. કૃપા કરીને બીજાને હેરાન કરશો નહીં. કાયરાવના આવા શબ્દો સાંભળીને અક્ષરાનું દિલ તૂટી જાય છે.

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago