પત્રલેખાને ઇગ્નોર કરીને વિનાયક સઈને ગળે લગાવશે,, તો બીજી બાજુ પાખી દાખલ કરશે સઈ વિરુદ્ધ કેસ..

આયેશા સિંહ, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સ્ટારર ટીવી શો ગુમ હૈ કિસીકે પ્યાર મે દિવસે દિવસે રસપ્રદ બની રહ્યો છે. હાલના એપિસોડમાં, આપણે ડૉ. સત્યા અધિકારી તરીકે હર્ષદ અરોરાની એન્ટ્રી જોઈ.

તાજેતરમાં, આપણે જોઈ રહ્યા છીએ કે સત્યા,સઈ અને વિરાટના જીવનમાં નવા વળાંક આવી રહ્યા છે.ડોક્ટર સત્યા આનંદ-પ્રેમાળ અને સરળ છે, જે સઇને ખુબ જ પરેશાન કરે છે. બીજી તરફ, પાખી નિરાશાનો સામનો કરે છે જ્યારે તે વિરાટને સઈ, સાવી અને વિનાયક સાથે સમય પસાર કરતા જુએ છે. હવે આવનારા એપિસોડમાં આપણે વિનાયકને સઈના ગળે લગાવતા જોઈશું.

ગુમ હૈ કિસી કી પ્યાર મેં અપકમિંગ ટ્વિસ્ટ

સિરિયલના આગામી એપિસોડમાં, આપણે સવી,વિરાટ અને વિનાયકને શાળાએથી પાછા આવતા જોઈશું. સવી ઉત્સાહપૂર્વક સઈને તેમના પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન વિશે જણાવે છે. જેના પર વિરાટ કહે છે કે આ માટે વિનાયક નંબર વન પર આવ્યો છે.

જેનાથી બધા ખુશ થાય છે અને વિનાયક માટે તાળીઓ પાડે છે.ઉત્સાહિત પાખીને પણ તેના પુત્ર પર ગર્વ છે. તે તેને તેની આવવા અને તેને હગ કરવાનું કહે છે. જો કે, વિનાયક પાખી પાસેથી પસાર તો થાય છે પણ તેં સઈને ગળે લગાવે છે. વિનાયક અને સઈને સાથે જોઈ પાખી નિરાશ થઈ જાય છે.

પાખી સઈ વિરુદ્ધ કેસ દાખલ કરશે.

આગામી એપિસોડમાં, પાખીને સવી અને વિનાયક સાથે વિરાટ અને સઈને સુતા જોયેલા પછી આપણે જોઈશું કે પાખી વકીલનો સંપર્ક કરે છે. જ્યારે વિરાટ તેંને વિનંતી કરે છે કે તેઓ તેમના બાળકોને તેની સાથે રહેવા દે અને તેમની ખુશી છીનવી ન લે, ત્યારે પાખી સંમત થાય છે. જોકે, પાછળથી પાખી કેસ દાખલ કરવાનું વિચારે છે. તે વકીલને મળવા જાય છે.

વકીલ પૂછે છે કે તે પારિવારિક બાબત છે કે ફોજદારી બાબત?? ત્યારે પાખી તેમને બંને કહે છે.ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે પાખી પોતાનું ગર્ભાશય કાઢી નાખવા માટે સઈ વિરુદ્ધ કેસ દાખલ કરવાની છે.આગામી એપિસોડ જોઈને જ ખબર પડશે કે આગળ શું ટ્વિસ્ટ અને ટર્નસઆવે છે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *