સામાન્ય રીતે શાકભાજીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉત્તમ ગણાય છે. લીલી પાંદડાવાળી શાકભાજી પોષક તત્વો થી ભરપુર હોય છે. લીલા શાકભાજી માંથી એક શાકભાજી પાલક પણ છે. લગભગ ઘણા લોકોને પાલક પસંદ હોતી નથી. પાલક એક પ્રકારની ભાજી છે.
ભાજી પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. એટલા માટે પાલકનું સેવન કરવાથી લોહી ની સમસ્યા પણ દુર થઇ જાય છે. આજે અમે તમને પાલક ખાવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ પાલક ખાવાનું શરૂ કરી દેશો. તો ચાલો જાણી લઈએ પાલકના ફાયદા..
પાલકમાં રહેલા ગુણ :- પાલક માં વિટામીન એ, સી, ઈ, અને બી કોમ્પ્લેક્સ ની ઘણી સારી માત્રા જોવા મળે છે. એ સિવાય પાલક માં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે.
પાલકમાંથી મળતા ફાયદા :- પાલક માં આયર્ન ની માત્રા વધારે હોય છે આ કારણે આ હિમોગ્લોબીન વધારવામાં લાભકારી છે, તેના નિયમિત સેવન થી લોહી ની ભારી કમી પૂરી કરવામાં આવી શકે છે. પાલક માં મળવા વાળા વિશેષ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટસ અને પ્રોટીન માંસપેશીઓ ને વિશેષ રીતે હ્રદય ની માંસપેશીઓ ને મજબુતી પ્રદાન કરે છે.
સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય થવાથી પણ બચાવે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.
પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. લીલી ભાજી પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. ત્વચાને ડ્રાય થતી બચાવે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.
પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે અને વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ. પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે.
માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના…
આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચન છે. સામાન્ય રીતે તો જયારે તરસ લાગે…
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ વર્ષોથી એક હિટ ટીવી સિરિયલ છે, જે લગભગ 14…
એપિસોડની શરૂઆત ચવ્હાણ પરિવાર સાથે થાય છે જ્યારે સઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ જોઈને બધા…
અનુપમા સિરિયલ તેના રસપ્રદ સ્ટોરી ટ્રેકના કારણે લોકોની ફેવરિટ બની ગઈ છે.હવે તેમાં પણ ચોંકાવનારા…
ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…