સ્ટાર પ્લસની હિટ સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ આ દિવસોમાં લાઈમલાઈટમાં છે. આયેશા સિંઘ અને નીલ ભટ્ટ અભિનિત ” ગુમ હૈ કિસી કે પ્યાર મેં ” એવા ટ્વિસ્ટ અને ટર્નની સાક્ષી બની રહી છે જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
બીજી તરફ હર્ષદ અરોરાની એન્ટ્રીએ લોકોનો ઉત્સાહ વધાર્યો છે. ગયા એપિસોડમાં આપણે જોયું હતું કે વિરાટ અને ચવ્હાણ પરિવાર સાથે બદલો લેવા માટે પત્રલેખા મહિલા મંડળને બોલાવે છે અને સઈને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ વિરાટે તેનો પ્લાન બગાડી નાખ્યો હતો. જોકે, તે વિરાટને સઈને જલદી ઘરની બહાર કાઢવાનું અલ્ટીમેટમ આપે છે. સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સનો અંત આવતો નથી.
આગળ બતાવવામાં આવશે કે સઈ પત્રલેખાને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તે અહીં ફક્ત તેના પુત્ર વિનાયક માટે છે અને તેને વિરાટમાં રસ નથી. પરંતુ પત્રલેખા તેને જવાબ આપે છે કે તે ન તો તેં તેના પતિ કે બાળક સઈને આપશે, કારણ કે વિરાટ અને વિનાયક તેના જ છે.આવી સ્થિતિમાં સઈ તેને પડકાર પણ આપે છે કે, “જો તમે તમારા નિર્ણય પર અડગ રહેશો તો હું પણ તમને કહું છું કે હું પણ મારા પુત્રને અહીંથી લઈ જઈશ..
આગળના એપિસોડમાં ભવાની કાકુ પત્રલેખા પર પોતાની નારાજગી વ્યક્ત કરતી જોવા મળશે. તે વિરાટને કહે છે કે કંઈ વહુ એવી હોય જે મહિલા મંડળને તેના ઘરે બોલાવે છે અને તેની સાસુ વિરુદ્ધ નારા લગાવે છે..આ પત્રલેખાને ઘરમાંથી બહાર કાઢવામાં મને એક મિનિટ પણ લાગશે નહીં.જો કે, વિરાટ તેમને શાંત કરે છે અને કહે છે કે આપણે પાખી સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.આટલું જ નહીં, વિરાટે પત્રલેખાની માફી પણ માંગી છે.
આગળ વિરાટ પત્રલેખાને શાંત કરવાનો પ્રયાસ કરવાં બદલ તેની માફી માંગતો જોવા મળશે, સાથે જ તેને હાથ જોડીને તેની ખુશી છીનવી ન લેવા માટે પૂછશે.જો કે, પત્રલેખા સંમત થશે કે તે સઈને ચવહાણ હાઉસ માંથી નહિ કાઢી મૂકે..પણ તેના મગજમાં બીજી કોઈ યોજના ચાલી રહી હશે. આયેશા સિંહના શોમાં મનોરંજનનો ડોઝ અહીં પૂરો નથી થતો.
શોમાં બતાવવામાં આવશે કે ડૉક્ટર અચાનક સત્યા અને સઈની કેબિનમાં પહોંચી જાય છે. ત્યારે જ સઈ બેડ પરથી ઊતરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેનો પગ લપસી જાય છે અને તે સત્યાના હાથમાં આવી જાય છે. જોકે સઈ તેને છોડવાનું કહે છે જેથી સત્યાએ જેવો તેનો હાથ હટાવ્યો તેવી જ સઈ નીચે જમીન પર પડી જાય છે…
Leave a Reply