આજના સમયમાં દરેક લોકો ભાગદોડ ભરેલું જીવન જીવે છે, જેના કારણે તે પોતાના માટે પણ સમય કાઢી શકતા નથી, પરિણામ એ છે કે માનવ શરીરમાં અનેક પ્રકારના રોગો દિવસેને દિવસે વધતા રહે છે. આમ તો શરીરના કોઈ પણ ભાગમાં શરીરનો દુખાવો અથવા પીડા આ તણાવપૂર્ણ અને પીડાદાયક જીવનમાં સામાન્ય બની ગઈ છે,
અને આવી સ્થિતિમાં, લોકો ઘણી પ્રકારની અંગ્રેજી દવાઓ એટલે કે પેનકિલરનો વપરાશ કરે છે, જે ક્યાંક આડઅસર પણ કરે છે. આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીશું જેનાથી શરીરના દરેક પ્રકારના દુખાવા માંથી રાહત મળી શકે છે. તો ચાલો જાણી લઈએ એ છોડ કયો છે?
અમે વાત કરી રહ્યા છીએ ઔષધી નિર્ગુંડી નો છોડ વિશે. જે શરીર ના દરેક રોગો થી રક્ષણ કરે છે. આ છોડ ને બીમારીઓ નો કાળ માનવામાં આવે છે, તમને જણાવી દઈએ કે આ છોડ ની ઓળખાણ કિનારી થી કરવામાં આવે છે, આ છોડ ૬ થી ૧૨ ફૂર ઉંચો હોય શકે છે. આના ફળ નાના સફેદ અને ગોળ હોય છે.
અમે તમને જણાવી દઈએ કે શરીરની અંદર હાજર આ કફ એક ઔષધિ તરીકે જાણીતું છે, જેના કારણે તે શરીરની અંદર થતા કોઈપણ દુખાવા ને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. નિર્ગુંડી છોડ ભારતભરમાં આપમેળે ઉગે છે. તેના છોડ ઉષ્ણ (ગરમ) પ્રદેશોમાં મોટી માત્રામાં જોવા મળે છે. તે ખેતરોના બાગ- બગીચામાં અને ઘરોમાં પણ રોપવામાં આવે છે.
ગળામાં થતો દુખાવા માટે: આ છોડ કફ વાતશામક ઔષધી ના રૂપે ઓળખવામાં આવે છે. આ છોડ શ્રેષ્ઠ વેદનાસ્થાપન અર્થાત દુઃખાવા ને દુર કરનાર માનવામાં આવે છે. આ છોડ ગુણો થી ભરપુર હોય છે. આના છોડ ને જો વાટી ને દુઃખાવા વાળી જગ્યા ઉપર લગાવવામાં આવે તો આ દુઃખાવા ને તરત જ ઓછો કરી દે છે. આ પાન ના જો તમે ઉકાળો બનાવી કોગળા કરો તો કોગળા કરવાથી ગળા નો દુઃખાવો દુર થઇ જાય છે.
કાનના દુખાવા માટે: જો વ્યક્તિ ને કોઈ પણ પ્રકારનો કાન નો દુઃખાવો થાય છે તો નીર્ગુડી ના પાન ના તેલ ને મધ સાથે મિક્સ કરીને ૧ થી ૨ ટીપા કાન માં નાખવાથી નિશ્ચિત રૂપ થી જ લાભ મળે છે.
તાવ, શરદી અને માથાના દુખાવા માટે: તાવ, શરદી, માં પણ આના તેલ ની માલીશ કરવાથી લાભ થાય છે. કોઈ પણ પ્રકાર નો માથા નો દુઃખાવો હોય તેના માટે આના પાંદડા ને ગરમ કરી લો અને પ્રભાવિત અંગ ઉપર બાંધી લો, આવું કરવાથી દુઃખાવા માં રાહત થશે.
Leave a Reply