નિયમિત સવારે ઉઠતાવેત તરત કરવું આ કામ, કિસ્મત ચમકી જશે..

લગભગ મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલા ફોન લેતા હોય છે. ઘણા લોકોને એવી આદત પણ હોય છે કે સૌથી પહેલા અરીસામાં એમનો ચહેરો જોવાનું પસંદ હોય છે. આજના સમયને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. તમે કોઈપણ વ્યક્તિ એવો નહીં જુઓ કે જેની પાસે સ્માર્ટફોન ન હોય.

આજે વ્યક્તિઓને એની એટલી બધી ટેવ પડી ગઈ છે કે સવારે ઊઠતાની સાથે જ લોકો મોબાઈલ વિના એક સેકન્ડ પણ રહી શકતા નથી. ઘણા લોકોને તો એવી આદત હોય છે કે ઊઠતાની સાથે જ પોતાના મોબાઇલની સ્ક્રીન સામે જોવું પડે છે અને ત્યારબાદ જ તેનો દિવસો શરૂ થતો હોય છે.

સામે ઘણા લોકો એવા પણ હોય છે કે જેને અરીસામાં પોતાનો ચહેરો જોવાનું પસંદ હોય છે. કેમ કે, આવા લોકો માત્ર પોતાને જ પ્રેમ કરતા હોય છે. પહેલાના સમયમાં લોકો સવારે ઉઠી ભગવાનનું નામ લેતા હતા જ્યારે આજના સમયમાં લોકો આવી કોઈપણ પરંપરાનું પાલન કરતા નથી.

જો હિન્દુ ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ સવારમાં ઉઠી અને સૌથી પહેલા પોતાની હથેળીઓના દર્શન કરે તો તેના કારણે તેનું સમગ્ર દિવસ ખૂબ જ સારો જાય છે.

જાણીને તમને પણ નવાઈ લાગશે પરંતુ આમ કરવા પાછળ પણ અનેક પ્રકારના રહસ્ય છુપાયેલા છે. જો સવારમાં ઊઠીને હથેળીના દર્શન કરવાની વાત કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારના ફાયદાઓ રહેલા છે. આજે અમે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સવારમાં ઉઠતાની સાથે હથેળીના ના દર્શન કરવાના કારણે થતા ફાયદાઓ વિશે.

ઘણા લોકોને આ વાત ઉપર વિશ્વાસ આવતો નથી. પરંતુ જો તમે થોડા દિવસ આ વાતનું પાલન કરશો અને સવારમાં ઉઠી તમારા હાથ ના દર્શન કરશો તેના કારણે તમે પોતે જ અનુભવી શકશો કે તમારો આખો દિવસ ખૂબ જ સારું જાય છે. અને ત્યાર પછી તમને આ વાત ઉપર વિશ્વાસ આવશે સામાન્ય રીતે શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે સવારમાં ઉઠીને હાથ ના દર્શન કરવાની સાથે નીચે મુજબના શ્લોક બોલવો જોઈએ.

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।

करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम्।।

આપના શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે હથેળીના મધ્ય ભાગની અંદર મા સરસ્વતી માતાનો વાસ હોય છે. જ્યારે હથેળીના ઉપરના ભાગમાં લક્ષ્મીજી અને હથેળીના મૂળ ભાગમાં વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે. એટલા માટે જો સવાર સવારમાં હથેળીના દર્શન કરવામાં આવે તો એક સાથે આ ત્રણેય દેવી-દેવતાઓના દર્શન થઈ જાય છે.

જે તમારો સમગ્ર દિવસ ખૂબ જ સુખમય અને આનંદમય બનાવી દે છે. અને તેની વિશેષ કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહે છે. જો સવારમાં ઉઠી અને હથેળીના દર્શન કરવામાં આવે તો તેના કારણે અનેક દેવી-દેવતાઓના દર્શન કરી લેવા, જેથી કરીને તેની કૃપા તમારા પર બની રહે છે

અને સાથે સાથે તમારા શરીરની અંદર સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થાય છે. અને આથીજ તમારા કોઈપણ કાર્ય ની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી અને તમારા દરેક ધારીયા કાર્ય થઈ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *