નાગા સાધુનું આ છે ખાસ રહસ્ય, જાણો શા માટે તેઓ રહે છે નગ્ન…

નાગાસાધુ સામાન્ય વસ્તીથી હંમેશા માટે દુર રહે છે અને પોતાના અખાડાઓમાં રહે છે. નાગા સાધુઓ કે જેઓ શરીર પર ભસ્મ લગાવી પોતાની જ ધૂનમાં રહે છે. નાગા સાધુની દુનિયા ના માત્ર રહસ્યમય હોય છે પરંતુ તેમની જીવન ચર્યા પણ અલગ અને અનોખી હોય છે.

માત્ર ભભૂતિ અને જટા, તેમજ રુદ્રાક્ષની માળા તેમનું આગવું ઘરેણું હોય છે. આપણે બધા જાણીએ જ છીએ કે નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવીને નિર્વસ્ત્ર રહે છે. એમને મોટી જટા પણ હોય છે. જે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેઓ વિવિધ અખાડામાં રહે છે જેની પરંપરા આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો.

આમ તો નાગા સાધુ બનવું ખૂબ જ મુશ્કેલ છે. શું તમે જાણો છો નાગા સાધુ બનવાની તાલીમ દુનિયાની કોઈપણ આર્મીમાં અપાતી ટ્રેનિંગ કરતા પણ ખુબ જ કઠોર હોય છે. આપણે ઘણી વાર કુંભમેળાનાં કવરેજમાં જોયું હશે કે નાગા સાધુ લોકો કપડાં પહેરતા નથી અને આખા શરીરમાં રાખ એટલે કે ભભૂત લગાડીને ફરતા હોય છે.

દુનિયા આખીને જીતવા નીકળેલો સિકંદર એક નાગા સાધુની સામે હારી ગયો હતો. નાગા સાધુના મત મુજબ આ સ્વરૂપમાં રહેવા માટે ઘણા કારણો હોય છે, પરંતુ તે કારણો વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે નાગા બાબા શા માટે રહે છે. તો ચાલો જાણી લઈએ એનું રહસ્ય..

નાગા સાધુના નગ્ન રહેવાનો અર્થ :-  નાગા શબ્દનો અર્થ છે નગ્ન, કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. આ સાધુ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં રહે છે અને આ તેમની ખાસ ઓળખ છે. આ ઉપરાંત નાગા સાધ પોતાને ભગવાનના દેવદૂત માને છે અને તેમની ઉપાસનામાં પોતાને લીન કરે છે એટલે તેમને કપડાં સાથે કોઈ મતલબ હોતો નથી.

નાગા સાધુનો પરિવાર :- અમે તમને જણાવી દઈએ કે નાગા સાધુ સમુદાયને તેમનો પરિવાર માને છે. આ માટે તેઓને સંસારિક પરિવાર માં કોઈ સમસ્યા નથી હોતી અને આ લોકો ઝૂંપડીઓ બનાવીને સાધુ જીવન જીવે છે. તેઓ રહેવા માટે કોઈ વિશેષ સ્થાન અથવા મકાનમાં નથી રહેતા.

નાગા સાધુનો ખોરાક :- નાગા સાધુ ફક્ત યાત્રાળુઓ દ્વારા આપવામાં આવેલો ખોરાકનું જ સેવન કરે છે અને તેમના માટે દૈનિક ભોજનનું કોઈ ખાસ મહત્વ હોતું નથી. જો સાત ઘરમાંથી દિક્ષા ન મળે તો પછી ભૂખ્યું રહેવું પડે છે. નાગા સાધુ બની ગયા પછી  તેના પદ અને અધિકાર વધી જાય છે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago