આપણે જાણીએ જ છીએ કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ બીમારીઓ પણ વધતી જાય છે. વૃદ્ધ વ્યક્તિઓ ને શરીરમાં ઘણી બીમારીઓ થતી હોય છે, એમાં પણ પગના દુખાવા ની બીમારી સામાન્ય થઇ ગઈ છે. ઉંમર વધે તેમ બીમારીઓનું જોખમ પણ વધવા લાગે છે.
વૃદ્ધાવસ્થાની એવી ઘણી બીમારીઓ છે જેનાથી વૃદ્ધો સૌથી વધારે ડરતા હોય છે. વૃદ્ધાવસ્થા આવતાની સાથે શરીર માં જાત-જાતની સમસ્યા આવવા લાગે છે. પણ જો તેનાથી બચવું હોય તો એક તો જીવનશૈલી સુધારવી પડે છે, અને બીજું ખાન-પાન પર ધ્યાન આપવું પડે છે.
વધતી જતી ઉંમર અને ઘટતી રોગપ્રતિકારક શક્તિને કારણે થતી અનેક બીમારીઓમાં કેન્સર નું નામ સૌથી પહેલુ આવે છે. ઘણા લોકોને કેન્સરની બીમારી સતાવે છે. સ્ત્રી કે પુરુષ જેને આ બીમારી થાય તેને ખુબ જ હેરાન કરી મુકે છે. જો તમે અથવા તમારા ઘરમાં કોઈ વૃદ્ધ સભ્ય છે.
વૃદ્ધત્વની અસર આમ તો વ્યક્તિના આખા શરીર પર જ પડે છે, પરંતુ બધા માટે એ અસર અલગ અલગ રીતે હોય છે. ખાસ કરીને એને જો બે ભાગ માં વહંચીએ તો એક અસર મગજ પર અને બીજી બાકીના શરીર પર એમ લઈ શકાય. વૃદ્ધાવસ્થા દરમિયાન શરીર એક વાર નબળું થઈ ગયા બાદ એને રિપેર કરવું ક્યારેય શક્ય હોતું નથી. આથી જે પણ શક્ય હોય છે એ છે એને ખરાબ થતું અટકાવવું.
વૃદ્ધાવસ્થા માં આવતી સમસ્યાઓથી બચવા માંગો છો, તો વૈદ્ય જીતુભાઈ દ્વારા જણાવેલ વૃદ્ધમિત્ર ચૂર્ણનું સેવન કરી શકો છો. આ ચૂર્ણ ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. તો ચાલો જાણી લઈએ એ ચૂર્ણ વિશે..
ચૂર્ણ બનાવવા માટે ની જરૂરી સામગ્રી :– અશ્વગંધા ૧૦૦ ગ્રામ, શતાવરી ૮૦ ગ્રામ, ગળો ૬૦ ગ્રામ, આમળા ૪૦ ગ્રામ, ગોખરૂ ૨૦ ગ્રામ, કોચા ૧૦ ગ્રામ, શંખપુષ્પી ૧૦ ગ્રામ વગેરે..
ચૂર્ણ બનાવવા માટે :- ઉપર જણાવેલ બધા ઔષધ ને ચૂરણ રૂપે લાવી મિક્સ કરી એક ચમચી સવાર સાંજ પાણી સાથે લેવું. વૃદ્ધાવસ્થા માં આવતા રોગો જેવા કે પાર્કિન્સ, ભૂલકકણ સ્વભાવ, પ્રોસ્ટેટ, પેશાબ પર કંટ્રોલ ના રહેવો, અશક્તિ, મગજ માં લોહી ના પહોંચવું વગેરે રોગો આનું કાયમી સેવન કરવાથી આવતાજ નથી.
જેમુનું વજન વધારે હોય તેમણે અશ્વગંધા ની માત્ર અડધી કરવી. પેશાબના દર્દી હોય તો ગોખરુની માત્રા બમણી કરવી. ગોખરુ નાના અર્થાત કાંટી ગોખરુ લેવા. તાકાત વધારવી હોય તો મોટા ગોખરુ લેવા. વૈધ સ્વ.મોહનદાદાની ડાયરીમાંથી.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…