માથા પર તિલક કરીને એના પર ચોખા લગાવવા પાછળ છે ધાર્મિક મહત્વ.. જાણો

હિન્દૂ ધર્મમાં ઘણી એવી પરંપરા અને રીવાજ છે, જેને પ્રાચીન સમયથી લોકો અપનાવી રહ્યા છે. જયારે પણ કોઈ માંગલિક કાર્ય હોય ત્યારે એની શરૂઆત તિલક કરીને જ કરવામાં આવે છે. માથા ઉપર તિલક લગાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

પૂજા-પાઠ, તહેવાર ત્યાં સુધી કે લગ્ન અને જન્મ દિવસ જેવા આયોજનમાં પણ તિલક કરવામાં આવે છે. શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે સફેદ ચંદન, લાલ ચંદન, કંકુ, બીલીપત્ર, ભસ્મ, હળદર વગેરેથી તિલક લગાવવું શુભ ગણાય છે. પણ આજના સમયમાં મોટાભાગના લોકો કંકુથી જ તિલક કરે છે.

જોકે તમે જોયું જ હશે કે કંકુના તિલક સાથે ચોખાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે એની પાછળ કયું અને કેવું કારણ હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એનું વૈજ્ઞાનિક કારણ અને ધાર્મિક મહત્વ….

ચોખા વગર અધુરી છે પૂજા :- જયારે પણ કોઈ પૂજા અને તિલક નો કાર્યક્રમ થાય છે તો ચોખા હોવા જરૂરી હોય છે. શુદ્ધતાનું પ્રતિક હોવાના કારણે આ ચોખા નો ઉપયોગ પૂજા માં અને તિલક લગાવ્યા પછી માથા પર લગાવવામાં આવે છે.

નકારાત્મક ઉર્જાનો થાય છે નાશ :- શાસ્ત્રો મુજબ, ચોખાને હવનમાં દેવતાઓને ચઢાવવામાં આવતું શુદ્ધ અન્ન માનવામાં આવે છે. તેથી તિલકમાં કાચા ચોખાનો ઉપયોગ સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. જેનાથી આપણી આજુબાજુ રહેલ નકારાત્મક શક્તિ સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થાય છે.

વૈજ્ઞાનિક કારણ :- વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો માથા ઉપર બન્ને નેણની વચ્ચે જ્યાં તમે તિલક લગાવો છો એને અગ્નિચક્ર કહેવાય છે. અહીંયાથી જ આખા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. એવામાં આ જગ્યા પર તિલક લગાવવાથી ઉર્જાનો સંચાર થાય છે અને વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તિલકમાં ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખાને શુદ્ધતા અને પવિત્રતા નું પ્રતીક માનવામાં આવે છે.

ધાર્મિક મહત્વ :- શાસ્ત્રો મુજબ કહેવાય છે કે ચોખા નું મહત્વ જોવામાં આવે તો આ એક શુદ્ધ અન્ન માનવામાં આવે છે. આપણે સંકોચ વગર કોઈ પણ દેવી દેવતાઓ ને ચડાવી શકીએ છીએ, ચોખા ને અક્ષત પણ કહેવામાં આવે છે. માં લક્ષ્મી ને ચોખા ખુબ જ પ્રિય માનવામાં આવે છે. જયારે પણ માતા દેવી માટે ભોગ બનાવવામાં આવે તો ત્યારે પણ એમાં ચોખાની ખીર જ બને છે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago