શું છે પેરાલીસીસ? જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય વિષે

પેરેલીસીસનો હુમલો એ એક એવી બીમારી છે જે ગમે ત્યારે આવી શકે છે. જ્યારે કોઈપણ અંગની સંવેદના નબળી હોય તો ક્યારેક જીંદગીભરનો વસવસો રહી જાય છે. પેરેલિસિસ એ મગજનો એક ગંભીર રોગ છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે.80 % સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના 20% માં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી ફાટવાથી હેમરેજ થાય છે.

પેરાલીસીસ (લકવો) એટલે શું ? :- આપણા શરીરના ‘સ્નાયુ’ શરીરનું એક ખૂબ અગત્યનું અંગ છે. જેનાથી આખા શરીરનું હલનચલન થાય છે. સ્નાયુ અને સાંધા ના હલનચલનનો કંટ્રોલ માનવ શરીરની નર્વસ સિસ્ટમ ઉપર છે. આ નર્વસ સિસ્ટમથી સ્નાયુને અને સ્નાયુ તરફથી નર્વસ સિસ્ટમને સંદેશાની આપણે સતત થયા કરે છે. આ કામ નર્વસ સિસ્ટમના ‘ન્યુટોન’ નામના કોષથી થાય છે. કાંઈપણ કારણથી નર્વસ સિસ્ટમના ‘ન્યુટોન’ને ચેપ લાગે અથવા ઈજા થાય ત્યારે તેની અસર સ્નાયુ અને સાંધા ઉપર થાય અને તે વખતે સ્નાયુના હલનચલન પર અસર પડે. આ બધા સ્નાયુને અસર થાય તેને ‘લકવો’ અથવા પેરાલીસીસ કહેવાય.

પેરેલિસિસના મુખ્ય લક્ષણો :- પેરેલિસિસના હુમલો આવતા ચહેરો ત્રાંસો થવો, એક બાજુનાં હાથના હલનચલનમાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ, બોલવામાં તકલીફ જેમકે જીભ જાડી થવી, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ના રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ પહોંચવું જરૂરી છે.

લકવો ના થાય માટે શું કરશો? :- મુખ્ય કારણ વજન વધારે હોય તે ઓછું કરવું, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો, હિમોગ્લોબીન સારું રાખો, ચેપ ના લાગે માટે કસરત નિયમિત કરો, બ્લડપ્રેશર કાબુમાં રાખો, વારસાગત ડાયાબીટીસ માટે ખોરાકમાં ખાંડ બંધ કરો, સ્ત્રીઓ ગર્ભનિરોધ ગોળી લેવાની બંધ કરો, લોહીમાં કોલેસ્ટ્રોલ વધે નહીં તેવો ખોરાક લેશો.

તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણથી પણ પક્ષઘાતનું જોખમ રહેલું છે. વાયુ પ્રદુષણને કાબૂમાં રાખવું એ જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બને છે. જો વધારે પડતો એસીડીક તત્વો નું સેવન કરીએ તો એસીડ ની માત્રા વધી જાય છે. જે ધમનીઓ ના પ્રવાહ માં લોહી વહેતુ અટકાવે છે અને જેના કારણે પણ પેરેલીસીસ થઈ શકે છે.

લાલ મરચાં, ગોળ-ખાંડ, કોઈપણ અથાણું, દહીં, છાશ, એસીડીક ખોરાક, અળદ દાળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફળ માત્ર પપૈયું અને ચીકુ જ લેવુ, અન્ય તમામ ફળ ન ખાવા જોઈએ. પ્રારંભિક દિવસોમાં કોઈપણ માલીશ ટાળો. જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછા 60% તંદુરસ્ત ન થાય ત્યાં સુધી કોઈ માલીશ ન કરો.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago