આ વસ્તુ ઘરમાં રાખવાથી તમે અને તમારા ઘર પરિવારના લોકો પણ લાંબું આયુષ્ય જીવી શકે છે.

જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે અને પરેશાનીઓને દૂર કરવા માટે લોકો ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ચાઈનીઝ ફેંગશુઈ શાસ્ત્ર નો સહારો લેતા હોય છે. ફેંગશુઈની અંદર તમારા ઘરની રહેલી દરેક પરેશાનીઓને દૂર કરવા માટે તમારા ઘરમાં કાચબા અથવા તો લાફિંગ બુદ્ધાને રાખવો શુભ માનવામાં આવે છે.

દુશ્મનોથી છુટકારો અથવા  ઘરમાં રહેલી કોઈપણ પ્રકારની બીમારીઓ મેળવવા માટે ફેંગશુઈની અંદર કાચબા ને રાખવાની વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જે વ્યક્તિઓના ઘરમાં કાચબો રાખવામાં આવે છે તેવા વ્યક્તિઓ ક્યારે બીમાર પડતા નથી.બીમારીથી બચવા ઉપરાંત લોકો પોતાના ઘરમાં ધાતુમાંથી બનેલા કાચબાને ઉત્તર દિશામાં રાખે છે.

આમ કરવાથી તે વ્યક્તિને નોકરી-ધંધામાં અને વેપારમાં સારી એવી સફળતા મળે છે. કાચબો પોતાનાં જીવનકાળમાં લાંબો સમય સુધી જીવતા રહેતા હોય છે,અને આથી જ ફેંગશુઈની અંદર કાચબાને દીર્ઘાયુનું પ્રતીક માનવામાં આવે છે. આથી જે વ્યક્તિઓ પોતાના ઘરમાં આ ફેંગશુઈ કાચબાને રાખે છે તે વ્યક્તિઓ નું આયુષ્ય લાંબું થાય છે.

જો ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવામાં આવે તો તેના કારણે જીવનમાં પ્રસન્નતામાં વધારો થાય છે.આ ઉપરાંત ઉપહારમાં આપેલા લાફિંગ બુદ્ધા નું વિશેષ મહત્વ રહેલું છે. આવું કરવાથી તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. આમ જો તમે પણ તમારા ઘરની અંદર લાફિંગ બુદ્ધા અથવા તો ફેંગશુઈ કાચબાને રાખોતો તેના કારણે તમારા જીવનમાં પણ કાયમી માટે સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે,

તમારા ઘરની અંદર રહેલી દરેક બીમારીઓ દૂર થઈ જાય છે. ઘરમાં આ રીતે ફેંગશુઈ કાચબા અને લાફિંગ બુદ્ધાને રાખવાથી તમારા ઘર પરિવારના લોકો પણ લાંબું આયુષ્ય જીવી શકે છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *