ભારતમાં દરેક લોકો ધર્મ શાસ્ત્રો પર ખુબ જ વધારે વિશ્વાસ કરતા હોય છે. ઘણીવાર પંડિતો દ્વારા નવા નવા ઘરમાં ટોટકા કે જાદુટોના પણ કરવામાં આવે છે, જેનાથી ઘરમાંથી નકારાત્મકતા દુર કરી શકાય છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં વાસ કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક જાનવર નું દેખાવું પણ શુભ અને અશુભ માનવામાં આવે છે.
જો ગરોળી પુરુષના જમણા હાથ તરફ પડે તો શુભ માનવામાં આવે છે અને ડાબા હાથ તરફ પડે તો અશુભ. શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો ગરોળી નીચેથી ઉપર દીવાલ પર ચડે છે, તો ખુબ જ વધારે શુભ માનવામાં આવે છે, પરંતુ જો ઉપરથી નીચે આવે છે તો અશુભ ગણાય છે.
આમ તો જો દિવાળી ની સાંજે ગરોળી જોવા મળે તો તમારા ઘરને સંપતિથી ભરી દે છે, કારણ કે ગરોળી લક્ષ્મી માતા નું પ્રતિક હોય છે. સાક્ષાત લક્ષ્મી દેવી ગરોળી ની સાથે ઘરે ઘરે પ્રવેશ કરે છે. તમે ગરોળી પર કુમ કુમ, ચોખા નાખીને કોઈ પણ મનોકામના માંગી શકો છો.
અને જો ગરોળી એમની જીભ લપલપાવે છે તો તમારી ઈચ્છા પૂરી થઇ જશે અને તમારું ઘર સંપતિથી ભરાઈ જશે. જો ગરોળી ચાલતા ચાલતા તમારા જમણા કાન પર પડે તો તમને સોના નું આભુષણ પ્રાપ્ત થશે, પરંતુ ડાબા કાન પર પડે તો તમારું આયુષ્ય વધશે.
જો ગરોળી તમારા કપાળ પર પડે છે તો ઘર માં ધન ની વર્ષા થવાની છે, પરંતુ જો માથા પર પડે છે તો કોઈ ભયંકર ઘટના થઇ શકે છે. જો બાજુ પર ગરોળી પડે છે તો ઘર માંથી ધન જઈ શકે છે અને જો નાક પર પડે છે, તો તમારી કિસ્મત બદલી શકે છે.
જો ગળાના કંઠ પર ગરોળી પડે છે તો તમારા દુશ્મન નો વિનાશ થઇ શકે છે અને જો મુછ પર પડે છે તો તમને ઘણું સમ્માન મળશે. જો જમણા પગ અથવા એડી પર ગરોળી પડે છે તો તમને યાત્રા નું સુખ પ્રાપ્ત થઇ શકે છે.
પરંતુ જો ડાબા પગ પર પડે છે તો ઘરમાં કંકાશ થશે. અને જો જમણા ઘૂંટણ પર ગરોળી પડે છે તો તમને યાત્રા પર ખુબ જ ધન પ્રાપ્ત થશે, પરંતુ ડાબા ઘૂંટણ પર પડવા પર તમારી યાત્રા ખુબ જ વધારે હાનિકારક થશે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…