વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરમાં ના રાખવી, ખૂબ જ હાનિકારક છે

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદરની વસ્તુઓ જ નહીં પરંતુ ઘરની આસપાસની વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. ઘરમાં મુકવામાં આવેલી વસ્તુઓની અસર ઘરના વાતાવરણ, ઘરના માહોલ પર પડે છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓ આપણા જીવનને પ્રભાવિત કરે છે. ઘરમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો ઉપયોગ પણ નથી કરતાં ને ફેંકવાની ઈચ્છા પણ નથી થતી. નિર્જીવ વસ્તુમાં હંમેશા નકારાત્મક ઉર્જા હોય છે જેનાથી ઘરના સદસ્યો પર વિપરીત અસર પડે છે.

લગભગ દરેક ઘરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ પૂજા પાઠ કરતી વખતે, અજાણતાં ઘણી ભૂલો થાય છે, જેના કારણે આપણી ઉપાસનાનું ફળ મળતું નથી. તેઓ જલ્દી ખુશ થાય છે, એક નાની ભૂલને કારણે, ભગવાન તમારી સાથે ગુસ્સો પણ કરી શકે છે, જેના કારણે તમારે તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ અમુક વસ્તુઓ ઘરમાં રાખવી ખૂબ જ હાનિકારક છે અને જો આ વસ્તુઓ તમારા ઘરમાં હોય તો તે ઘરમાંથી કાઢી નાખવી જોઈએ અને જો કેટલીક વસ્તુ ખોટી રીતે બનાવવામાં આવે તો તેનું સ્થાન બદલવું જોઈએ. તે ત્રણ વસ્તુઓ શું છે, ચાલો જાણીએ તેમના વિશે…

કાળા રંગનો દરવાજો :- ઘરમાં કાળા રંગનો દરવાજો ક્યારેય લગાવવો ન જોઈએ, કારણ કે જે ઘરમાં કાળો દરવાજો છે ત્યાં મોટાભાગની લડાઇઓ, ઝગડા અને પૈસાની સમસ્યા હોય છે. કાળો દરવાજો નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જેના કારણે ઘરે મુશ્કેલી આવે છે. તેથી, કાળા દરવાજાને ઘરમાં રાખવો જોઈએ નહીં અને જો કાળો દરવાજો પહેલેથી હાજર હોય તો તમારે તેના પર બીજો રંગ કરાવી લેવો જોઈએ, નહીં તો લીંબુ અને મરચા લગાવી દેવા જોઈએ.

ખંડિત મૂર્તિઓ :- વાસ્તુ અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની વધારે મૂર્તિ ન હોવી જોઈએ અને આ મૂર્તિઓને ફક્ત પૂજા ઘરમાં જ સ્થાપિત કરવી જોઈએ. તેમજ દેવી-દેવતાઓની મૂર્તિ ખંડિત થઈ જવા પર તેમની પૂજા ન કરો અને ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખો. ટુકડા થયેલા મૂર્તિની પૂજા કરવી શુભ નથી અને ઘરમાં આવી મૂર્તિઓ રાખવાથી ઘરની શાંતિ પ્રભાવિત થાય છે. તેથી જ્યારે પણ દેવી-દેવતાઓની મૂર્તિ તૂટે છે ત્યારે તમે તરત જ તેને નદીમાં પધરાવી દો.

ભંગારનો સામાન :- ઘણી વાર આપણા ઘરમાં ખુરશી, ટેબલ અથવા અન્ય વસ્તુઓ તૂટી જવા પર તેને ફેંકવાની જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરીએ છે, જે યોગ્ય નથી માનવામાં આવતું. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તૂટેલી-ફૂટેલી વસ્તુઓ ઘરમાં હોવી યોગ્ય નથી, અને વસ્તુઓ તૂટી જવા પર તરત તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. ઘરમાં તૂટેલો સામાન હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે. એટલા માટે તૂટેલી ખુરશી, ટેબલ, સોફા, અરીસો, ફ્રેમ, ઇલેક્ટ્રોનિક સામાન, વાસણ, બંધ થઈ ગયેલી ઘડિયાળ જેવો ભંગાર પોતાના ઘરમાં ન રાખો અને તેમને ઘરની બહાર કાઢી દો.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago