‘KGF – 2’ ફિલ્મના અભિનેતા મોહન જુનેજાનું 7 મે 2022ના સવારમાં મૃત્યુ, ચાહકોને શોકનું વાતાવરણ

આખી દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડનાર ફિલ્મ ‘KGF – 2’ વિષે બધા જ હવે જાણી ગયા છે. જો તમે પણ આ ફિલ્મ જોઈ હશે તો આ ફિલ્મના તમે પણ ચાહક થઈ ગયા હશો પણ તમારી માટે એક બહુ ખરાબ સમાચાર છે, આ ફિલ્મ સાથે જોડાયેલ અભિનેતા મોહન જુનેજાનું 7 મે 2022ના સવારમાં મૃત્યુ થઈ ગયું છે.

 

આજે સવારમાં એટલે કે 7 મે 2022ના મોહન જુનેજાનું નિધન થયું છે. સમાચાર અનુસાર અભિનેતા લાંબી બીમારીથી પીડાઈ રહ્યા હતા, તેઓ ઘણા સમયથી બીમાર હતા અને 7 મે સવારમાં તેમને બેંગલુરુના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મોહન જુનેજાએ પોતાની શાનદાર કોમેડી માટે ખૂબ ઓળખાતા હતા અને તેમના નિધનથી તેમના ચાહકો અને પરિવારમાં ખૂબ દુખનું વાતાવરણ થઈ ગયું છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

KGF – 1 ફિલ્મ જો તમે જોઈ હશે તો તમને જણાવી દઈએ કે મોહન જુનેજા એ આ ફિલ્મમાં પત્રકાર આનંદીના ઇન્ફોર્મર તરીકેનો રોલ નિભાવ્યો હતો. તેઓ સાઉથના બહુ પ્રખ્યાત ચહેરા છે. જો કે તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તેઓએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, મોહન જુનેજએ પોતાની ફિલ્મી કરિયરમાં તમિલ, તેલુગુ, મલયાલમ ને હિન્દી ભાષામાં પોતાનો અભિનય બતાવ્યો છે.

 

તમને જણાવી દઈએ કે સાઉથ ઈન્ડિયા અભિનેતા મોહન જુનેજાને ફિલ્મ ‘ચેલતા’થી મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના દ્વારા કરવામાં આવેલ પાત્રને લોકો આજે પણ યાદ કરે છે. તેઓ ખૂબ ફેમસ ફિલ્મ KGF – 1 અને 2 માં પણ દેખાયા હતા. અભિનેતાના નિધનથી સોશિયલ મીડિયા પર સંવેદનાનું ઘોડાપૂર આવ્યું છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *