દરેક લોકોને હેડકી નો ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ થાય જ છે. જ્યારે પણ કોઇને હેડકી આવે તો એ એમ કહે કે કોઇ મને યાદ કરે છે. અમે તમને જણાવી દઇએ કે કોઇના યાદ કરવાથી હેડકી નથી આવતી. આ એક વાયુવિકાર પ્રકાર નો રોગ કહી શકાય. આજના લેખ ના માધ્યથી આપને હેડકિ આવવાનુ કારણ તેમજ તેનો ઇલાજ વિશે વિસ્તારપુર્વક જણાવશુ, તો ચાલો જાણી લઇએ હેડકી આવવાના કારણો અને તેના ઉપાય વિશે.
હેડકી આવવાના મુખ્ય કારણો :- જ્યારે છાતી અને પેટની વચ્ચેની માંસપેશિઓ સંકોચાઇ જાય તો આપના ફેફસા તાજી હવા ખેંચવાનો પ્રયાસ વધારી છે અને આપણને શ્વાસ લેવામા થોડી તકલિફ થાય છે જેથી પેટની હવા મોઢે થી હેડકી ના રુપે બહાર આવે છે. આવી પરેશાની નિચેના કારણો થી થાય છે.
ઉતાવળ મા કરેલુ ભોજન, ધુમ્રપાન ને કારણે, પેટમા થયેલા ગેસને લિધે, એસિડીટીની સમસ્યા રહેવાના કારણે, વધુ પડતી દારુના સેવનના કારણે, પેટ કે આંતરડાની બિમારી. અમુક લોકોને દવાઓની એલર્જી ના કારણે પણ થઇ શકે છે. નાના બાળકો મા વધુ પડતુ રોવાથી કે તાવ આવવાથી પણ હેડકીની સમસ્યા ઉદભવે છે. ક્યારેક વધુ પડતુ દુધ પી લેવાથી પણ હેડકી આવી શકે છે
હેડકી અટકાવવા માટે અસરકારક ઉપાયો :- જીભને રુમાલથી પકડીને ત્રણેક વાર ખેંચવી. પાંચ એલચી ને છાલ સાથે પીસીને બે ગ્લાસ પાણીમા ઉકાળી લેવી પછી તેને ગાળીને તે પાણી પીવુ. છિંક આવવાથી હેડકી બંધ થઈ જાય છે, તો કોઇપણ રીતે છીંકવાની કોશિશ કરવી.
તાજા આદુ ના નાના ટુકડાઓ કરીને તેને ચુસવાથી વારેવારે આવતી હેડકી મા આરામ મળે છે. ઠંડા પાણી થી નહાવા થી હિંચકી જતી રહે છે. તજનો ટુકડો મોઢામા મુકીને ચુસવાથી પણ હેડકી જતી રહે છે. ખાંડ ખાવાથી હેડકી માં આરામ મળે છે. લાંબા શ્વાસ લેવાથી હેડકી આવતી અટકી જાય છે.
આ ઉપર અમે તમને પરંપરાગત યોગ્ય સાચા કારણો જણાવ્યા છે, જો વધુ પડતી હેડકી આવે તો નજીકના ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો જોઈએ. આ ઉપાય થી ફરક જોવા ન મળે તો પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી..
Leave a Reply