પૂજા દરમિયાન ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખવી આ બાબતો

કોઈને દરરોજ તો કોઈને પ્રસંગોપાત દેવસ્થાન મંદિરોમાં જઈને દર્શન કરવા જવાની ટેવ હોય છે. એ રીતે ક્યારે ઘરમાં કે કોઈ વારતહેવારે મંદિરમાં આપણે પૂજા – પાઠ અને હવન યજ્ઞ પણ કરાવતાં હોઈએ છીએ.  ભગવાનની પૂજા એક એવો ઉપાય છે જેના દ્વારા જીવનની મોટામાં-મોટી સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરી શકાય છે.

કેટલીક વસ્તુઓનો ઉપયોગ પૂજા દરમિયાન ન કરવો જોઈએ, તે જ રીતે શાસ્ત્રોમાં કેટલીક ધાતુઓથી બનેલી વસ્તુઓના ઉપયોગની પણ મનાઈ કરવામાં આવી છે.પૂજામાં સોનું, ચાંદી, પીત્તળ, ત્રાંબુ વગેરે ધાતુઓના વાસણનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

જ્યારે લોખંડ, એલ્યૂમિનિયમ જેવી ધાતુઓથી બનેલા વાસણોનો ઉપયોગ ન કરવામાં જ સમજદારી છે. આવા જ કેટલાક નિયમો છે જેનું પાલન પૂજા કરતી વખતે કરવું જોઈએ. પૂજા દરમિયાન કોઈ ચૂક ન રહે એ માટે અમુક એવી સામાન્ય લાગતી પણ ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવીએ.

જે હંમેશા યાદ રાખીને દરરોજ કરાતા પૂજા – પાઠ અને ધાર્મિક ક્રિયાઓમાં અપનાવવા જોઈએ જેથી તેનું કર્મફળ વધુને વધુ ફળદાયી રહે.ઘરમાં કે મંદિરમાં જ્યારે પણ કોઇ વિશેષ પૂજા કરે તો ઇષ્ટદેવની સાથે જ સ્વસ્તિક, કળશ, નવગ્રહ દેવતા, પંચ લોકપાલ, સોળ માતા,સાત માતાનું પૂજા જરૂરથી કરવું જ જોઇએ.

પૂજામાં આપણે જે આસન પર બેસીએ છીએ, તેને પગ વડે આમ-તેમ ફેરવવું ન જોઇએ. આસનને હાથ વડે જ ઉપાડવું જોઇએ. કોઇ પણ ભગવાનની પૂજામાં તેમનું આહવાન કરવું, ધ્યાન કરવું, આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપ તથા દીવો કરવો, ચોખા, કંકુ, ચંદન, ફૂલ, પ્રસાદ વગેરે હોવું ખૂબ જ જરૂરી છે.

દરેક પૂજામાં ચોખા અર્પણ કરવામાં આવે જ છે. પૂજા માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઇએ જે ખંડિત અથવા તૂટેલા ન હોય. ચોખા અર્પણ કરતાં પહેલા તેને હળદરથી પીળા કરી લેવા જોઇએ. પૂજામાં નાગરવેલના પાન પણ અર્પણ કરવામાં આવે છે.

ધ્યાનમાં રાખવું માત્ર નાગરવેલનું પાન જ અર્પણ ન કરવું, તેની સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ અર્પણ કરવું જોઇએ. દેવી-દેવતાઓની સમક્ષ ઘી અને તેલ, બંન્નેનાં દીવા કરવા જોઇએ. કોઇપણ પ્રકારની પૂજામાં કુળ દેવતા, કુળ દેવી, ઘરનાં વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું જરૂરી છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago