આ વર્ષે ધનતેરસ પર લક્ષ્મીજીને ખુશ કરવા માટે અને ભાગ્યના દ્વાર ખોલવા માટે કરો કપૂરનો આ વિશિષ્ટ ઉપાય..

હિન્દુ ધર્મમાં કપૂરનો વિશિષ્ટ મહત્વ રહેલું હોય છે.  કોઈ પણ હિન્દુ ધર્મમાં શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.આ પુજા માં અનેક પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કપૂર તેમાંથી એક શુધ્ધ અને પવિત્ર વસ્તુ છે.

એવું કહેવામાં આવે છે કે કપૂર વગર કોઈ પણ હિન્દુ ધર્મમાં દેવી-દેવતાની પૂજા અધૂરી માનવામાં આવે છે.  કપૂરનો ઉપયોગ ધાર્મિક રીતે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સંબંધોમાં પણ અનેક પ્રકારના ફાયદા કરાવે છે. કપૂર આપણા સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની તકલીફ દૂર કરી શકે છે.

નિયમિત રીતે કપૂરનો ઉપયોગ કરવાથી આપણા ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે ઉપરાંત કપૂરનું વિશિષ્ટ મહત્વ જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને પુર વિશે. એવી અમુક વિશિષ્ટ પ્રકારની માહિતી આપીશું.

તેથી તમારું સુઇ ગયેલું નસીબ ચમકાવી શકો છો અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અને કપૂરનો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ માંથી મુક્તિ મેળવી શકો છો તો ચાલો જોઈએ કપૂરનો આ ચમત્કારિક ઉપાય

નિષ્ફળ ગયેલા કામો સફળ બનાવવા માટે :- ઘણી વખત જીવનમાં ખૂબ જ વધારે પ્રયત્ન અને મહેનત કર્યા પછી પણ માણસને સફળતા પ્રાપ્ત થતી નથી અને તમારા જીવનમાં આવતું મહત્વનું કામ અટકી જતું હોય છે. જો તમારા જીવનમાં પણ કોઈને કોઈ સમસ્યાઓ આવતી હોય કે કાર્યક્ષેત્રમાં કોઈ ને કોઈ વિઘ્ન આવતો હોય તો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કપૂરનો આ ચમત્કારિક ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતા તમામ પ્રકારના અવરોધ દૂર થશે.

આ માટે તમારે એક ચાંદીનું વાસણ લેવાની જરૂર છે. અને તેમાં તમારે કપૂર અને લવિંગ પ્રગટાવવાના રહેશે. અને તેમને સમગ્ર ઘરમાં ફેલાવી દેવાના રહેશે. અને તેમનો ધુમાડો સમગ્ર શરીરમાં ફેલાઇ જાય તો જીવનમાં આવતી તમામ પ્રકારની કષ્ટ અને અવરોધ દૂર થવાની શક્યતા છે. તે ઉપરાંત વારંવાર કોઈ પણ કાર્યમાં આવતી નિષ્ફળતા દૂર થશે. અને જીવનમાં સરકાર ઉર્જા પ્રાપ્ત થશે.

ઘરમાંથી દુષ્ટ શક્તિઓ દૂર કરવા માટે :- જો વાસ્તુ દોષના કારણે કોઈપણ વ્યક્તિના ઘર અને પરિવાર માં અનેક પ્રકારની મુશ્કેલી આવતી હોય છે. અને ઘરમાં કોઇપણ પ્રકારના વાદ વિવાદ અને ઝઘડા થતા હોય છે. તેના કારણે ઘરમાં વાસ્તુદોષ રહેલો હોય છે. અને વાસ્તુ દોષના કારણે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો ભંગ થતો હોય છે.

તે ઉપરાંત તે ઘરમાં દરરોજ કારણ વગરના વાદ વિવાદ થતાં હોય છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને દુકાન હોય અને તેમને વાસ્તુદોષના કારણે તેમાં નુકસાન થતું હોય તો આ પ્રકારનો ઉપાય કરવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થશે. અને ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે. અને ઘરમાં અને કાર્યક્ષેત્ર ઉપર કપૂરની ગોળી રાખવાની જરૂર રહેશે. અને ઉત્તર અને પૂર્વ દિશામાં કપૂરની ગોળી રાખવાથી કાર્યક્ષેત્રમાં ખેતરમાં આવતા તમામ પ્રકારના વિધ્નો દૂર થશે.

ધનવાન બનવા માટે :- રૂપિયા કમાવવા માટે લોકો દિવસ અને રાત મહેનત કરતા હોય છે. તેમ છતાં પણ તેમને રૂપિયાની સમસ્યા રહેતી હોય છે. ઘણીવાર તેઓ અટવાઇ જતાં હોય છે. અને ઘણી વાર તેમણે કમાયેલા પૈસા ખર્ચ થઇ જતા હોય છે. જો તમારા જીવનમાં આર્થિક રીતે મુશ્કેલી પડી રહી હોય તો તમે લાલ ગુલાબના ફૂલમાં કપૂર ના બે ટુકડા નાખી અને કપૂરને સળગાવી અને માતા લક્ષ્મીને અર્પણ કરવાનું રહેશે. અને આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. અને સાત પેઢી સુધીના ધન પ્રાપ્ત થશે.

મહાલક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે :- માણસના જીવનમાં ધનવાન બનવા માટે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થવા અત્યંત જરૂરી છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ પર વધારે માતા લક્ષ્મીની કૃપા હોય તો તેમની પાસે ધનની સાથે જ્ઞાન પણ હોય છે. અને ધનની સાથે જ્ઞાન હોવું એ અતિશય મહત્વનું છે. એટલા માટે તમારે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સવારે અને સંધ્યા સમયે કપૂર નો દીવો પ્રગટાવવા નો રહેશે. અને આ બપોરના દીવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. અને મા લક્ષ્મીની આરતી કરતી વખતે કપૂરને ઘરના પૂજા ઘરમાં રાખવાનું રહેશે. અને આમ કરવાથી માતા લક્ષ્મી નિશા સદાય તમારા ઉપર કૃપા થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *