દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે જે આ વર્ષે 4 નવેમ્બરના રોજ છે. આ પહેલા ધનતેરસનો તહેવાર, જે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે, જે આ વખતે 2 નવેમ્બરના રોજ પડી રહ્યો છે.
આ દિવસે ખરીદીનું મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, જેને શુભ માનવામાં આવે છે. પરંતુ જો આ દિવસે રાશિ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો તે વધુ શુભ સાબિત થાય છે. તો આજે આ લેખમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે ધનતેરસ પર આ સમયે રાશિ પ્રમાણે તમારે શું ખરીદવું જોઈએ, જે તમારા જીવનમાં સુખ લાવશે.
સિંહ: રોકાણને લગતાં કાર્યો માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ છે. એટલે આ કાર્યોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી પણ રાહત મળશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પણ પરિવાર ઉપર રહેશે.
તુલા: કોઈ ઐતિહાસિક સ્થળે ફરવા જવા માટેનો પ્રોગ્રામ બનશે. જેનાથી તમે વધારે શાંતિ અને હળવાશ અનુભવ કરશો. ઘરમાં સુખ- સુવિધાને લગતી વસ્તુઓની ખરીદારી પણ થઈ શકે છે. ઘરના કોઈ વડીલ સભ્ય તરફથી કિંમતી ભેટ મળી શકે છે.
કર્ક: આજે તમારી વ્યસ્ત દિનચર્યા માંથી થોડો સમય તમારી હોબી અને રસના કાર્યો માટે કાઢો. તેનાથી તમને પોતાને ફ્રેશ અનુભવ કરશો. આવકના સાધનો યોગ્ય જળવાયેલાં રહેશે. એટલે આર્થિક રૂપથી કોઈ મુશ્કેલી આવશે નહીં.
ધન: થોડા સમયથી તમે સમાજ સેવા કાર્યો જેમ કે, જરૂરિયાતમંદ લોકોની દેખરેખમાં થોડો સમય પસાર કરો છો. તેનાથી સમાજમાં તમારી વિશેષ ઓળખ બની રહેશે. આજથી જ તેને લગતાં કાર્યો માટે તમને માન-સન્માન પ્રાપ્ત થશે.
કુંભ: કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે ઘરના વડીલ લોકોની સલાહ અવશ્ય લેવી અને તેના ઉપર અમલ પણ કરવો. આવું કરવાથી તમને ખૂબ જ ફાયદો થઈ શકે છે. ઘર પરિવર્તનને લગતી યોજનાઓ ઉપર પણ આજે મહત્ત્વપૂર્ણ કાર્ય શરૂ થઈ શકે છે.
મીન : આજે કોઈ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઈ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેનના પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો.
Leave a Reply