યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં અક્ષરા સાથે એક નવી દુર્ઘટના બનવા જઈ રહી છે. ખૂબ જ મુશ્કેલીથી અક્ષરાએ અભિમન્યુથી છુટકારો મેળવ્યો હતો. અક્ષરા નથી ઈચ્છતી કે અભિરનું સત્ય બહાર આવે. આવી સ્થિતિમાં તે અભિનવ અને અભિર સાથે કસૌલી પાછી આવી ગઈ છે. પણ હવે અભિર કસૌલીમાં ખોવાઈ ગયો છે. અબીર ક્યાં ગયો, કારમાંથી અચાનક અભિર ગાયબ થઈ જવાથી અક્ષરા ગભરાઈ ગઈ છે.
અક્ષરા-અભિનવ અભિરને પણ સાથે ડેટ પર લઈ ગયા
આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અભિનવ અક્ષરાને કહે છે કે મેં તને ક્યારેય ડેટ માટે પૂછ્યું નથી. આવી સ્થિતિમાં અક્ષરા કહે છે કે 5 વર્ષના બાળક સાથે પણ હું ચોક્કસ તારી સાથે ડેટ પર જઈશ. બંને અભિરને તૈયાર કરીને રેસ્ટોરન્ટ માટે રવાના થાય છે, ત્યારે જ અભિર કારમાંથી ગાયબ થઈ જશે.હવે અક્ષરા અને અભિનવ બંને અભિને શોધી લેશે કે નહિ??
જગ્યાએ જગ્યાએ તેની પૂછપરછ કરશે.અભિમન્યુને અક્ષરાના નંબર પરથી કોલ આવશે. જ્યારે અભિ તેના ફોનની સ્ક્રીન પર અક્ષરાનું નામ ચમકતું જુએ છે ત્યારે તે ચોંકી જાય છે. પરિવાર સાથે બેઠેલા હોવાથી તે કોઈને જતાવશે નહિ અને શું?? તેવો પ્રશ્ન પૂછસે..
અક્ષરાના ફોન કોલથી અભિમન્યુ ચોંકી જશે
અક્ષરા તેના પુત્રને બધે શોધી રહી છે, તો પછી અક્ષરાના ફોન પરથી અભિને કોણે કોલ કર્યો? શું અભિરે અભિમન્યુને ફોન કર્યો? જો હા તો અભિર ક્યાં છે? શું તે પોતે કારમાંથી ઉતર્યો હતો કે કોઈએ તેનું અપહરણ કર્યું છે?આ જાણવું રોમાંચક હશે.
અભિરે એક સપનું જોયું હતું, દીકરાએ અક્ષરા સાથે શેર કર્યું હતું..
તમને જણાવી દઈએ કે, આ પહેલા શોમાં બતાવવામાં આવ્યું હતું કે અભિરે અક્ષરાને તેના સપના વિશે કહ્યું હતું કે તેને કેટલાક ગુંડાઓ ઉપાડી ગયા હતા અને પછી તેને ડોક મેને તેને બચાવી લીધો હતો. હવે સવાલ એ થાય છે કે શું અભિરનું સપનું સાચે થવા જઈ રહ્યું છે?
એટલે કે અભિમન્યુ પણ અભિરને બચાવવા આવશે અને પછી અક્ષરા અને અભિ સામ-સામે હશે. તો શું આ દરમિયાન અભિરનું સત્ય પણ સામે આવશે? આ શો હવે ખૂબ જ રસપ્રદ વળાંક પર આવ્યો છે…
Leave a Reply