ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આગામી એપિસોડ્સમાં એક પછી એક ઘણા ધડાકા થવાના છે. આજે ટેલિકાસ્ટ થનારા એપિસોડમાં બતાવવામાં આવશે કે આરોહીએ બધાની સામે સગાઈ કરવાનો ઈન્કાર કર્યો છે.પછી સમાચાર આવશે કે પોલીસે અભિનવની ધરપકડ કરી લીધી છે અને અંતે બતાવવામાં આવશે કે અભિમન્યુ તેના ભાઈ પાર્થથી એટલો ગુસ્સે થઈ જાય છે કે તે તેનો કોલર પકડી લે છે.આજે ટેલિકાસ્ટ થવાના એપિસોડ અંગે જાણી લઈએ..
અભિનવ આ વાત અક્ષરાને કહેશે..
છેલ્લા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે અભિનવ અક્ષરાની સામે પોતાના દિલની વાત કરે છે. આજે ટેલિકાસ્ટ થવાનો એપિસોડ પણ અહીંથી શરૂ થાય છે. અભિનવ અક્ષરાને કહે છે, ‘જ્યારે ભાઈજીનો અકસ્માત થયો ત્યારે મેં તેમના પ્રત્યે તમારો પ્રેમ જોયો અને એમનો પણ..હું જાણું છું કે હું તમારા બંને વચ્ચે આવ્યો છું.જો હું ત્યાં ન હોત તો બધું સારું હોત.તમે, ભાઈજી, નિક્કીજી બધા સાથે રહેતા હોત.’ અભિનવના મોઢેથી આ બધી વાતો સાંભળીને અક્ષરા ચોંકી જાય છે. અક્ષરાના હાવભાવ જોયા પછી, અભિનવ સમજે છે કે તેણે તેની લાગણીઓમાં ઘણું બધું કહ્યું હતું. તે વાત પૂરી કરીને ઘર તરફ ચાલવા લાગે છે જ્યારે અક્ષરા તેને રોકે છે.
અક્ષરાને અભિનવ પર ગુસ્સો આવશે..
અક્ષરા કહે છે, ‘મને ખબર છે કે તમે મને અને અભિમન્યુને મંદિરમાં જોયા હતા. તમે મને અને અભિમન્યુને સમય આપવા માંગતા હતા એટલે અભિરને લઈને સીઘા કાર તરફ ગયા હતા…તમે મને અને અભિમન્યુને પ્રાયવેસી આપવા માંગતા હતા. પરંતુ, હું તમારાથી કંઈપણ ખાનગી રાખવા માંગતી નથી. મારે તમંને બધું કહેવું છે.’ આ કહ્યા પછી અક્ષરા અભિનવને આખું સત્ય કહેવાનો પ્રયત્ન કરે છે.પણ અભિનવ કંઈ સાંભળવા તૈયાર નથી. તે કહે છે કે તેનામાં સત્ય સાંભળવાની હિંમત નથી..
નીલમ મા રસ્તો બતાવશે.
બીજા દિવસે સવારે, અભિનવ અક્ષરાને જાણ કર્યા વિના જ નીકળી જાય છે. જેના કારણે અક્ષરા નારાજ થઇ જાય છે. ત્યારે પવનના કારણે અભિનવની તસવીર પડી જાય છે. અક્ષરા અભિનવની તસવીરને તેની યોગ્ય જગ્યાએ પાછી મૂકવાનો પ્રયાસ કરે છે. પછી નીલમ મા આવે છે.અક્ષરા નીલમ માને બધું કહે છે. નીલમ મા તેને સમજાવે છે કે અભિનવ ડરી ગયો છે. તેને ડર છે કે તેને ફરી એક વાર એકલો છોડી દેવામાં આવશે. નીલમ માના શબ્દો સાંભળ્યા પછી, અક્ષરા બધું જ સમજે છે અને બધું બરાબર કરવાની વાત કરે છે.
આરોહીના નિર્ણયથી મંજરી પરેશાન થશે..
બિરલા હાઉસમાં દરેક વ્યક્તિ અભિમન્યુ અને આરોહીની સગાઈની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે, આરોહી તેની સગાઈની વીંટી લઈને મંજરી પાસે આવે છે અને બધાને કહે છે કે તે અત્યારે અભિમન્યુ સાથે સગાઈ કરી શકતી નથી. આ સાંભળીને મંજરી ગભરાઈ જાય છે..તે આરોહીને શાંત કરવાનો પ્રયાસ કરે છે.પરંતુ, આરોહીનું કહેવું છે કે તે હજુ સગાઈ માટે તૈયાર નથી. અભિમન્યુ પણ આરોહીને સપોર્ટ કરે છે.
શોમાં આગળ એક મોટો ધડાકો થશે..
આગળ બતાવવામાં આવ્યું છે કે શેફાલી અને પાર્થ વચ્ચે દલીલ શરૂ થાય છે..આ દલીલમાં પાર્થ શેફાલી પર હાથ ઉપાડે છે. પાર્થના આ કૃત્યથી અભિમન્યુ એટલો ગુસ્સે થઈ જાય છે કે તે પાર્થનોં કોલર પકડીને ધમકી આપે છે. બીજી બાજુ અક્ષરાને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે. તેને કહેવામાં આવ્યું છે કે પોલીસે અભિનવની ધરપકડ કરી લીધી છે..
Leave a Reply