અક્ષરા અને અભિમન્યુ વચ્ચે વધશે નજદીકી, તો અભીરનું ધ્યાન રાખશે અભી….

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સ્ટોરીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવવાનો છે. પરંતુ, આ ટ્વિસ્ટ વિશે જણાવતા પહેલા, ચાલો અમે તમને ટૂંકમાં લાસ્ટ એપિસોડમાં શું આવ્યું તેં અંગે જણાવી દઈએ..

છેલ્લા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે જ્યારે અભિનવનો અકસ્માત થાય છે, ત્યારે અભિર અભિમન્યુને બોલાવે છે અને તે આવે પણ છેં. જ્યારે, આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અભિમન્યુ અભિરના કોલ પર પાછો ફરે છે. તે અભિનવની ટ્રીટમેન્ટ કરે છે અને અક્ષરા અને અભિરનું ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Abhira Birla😍💕 (@abhi_ra6)


અભિમન્યુ બની જશે અભિરનો હીરો..

અભિમન્યુને અભિરનો મેસેજ મળતાની સાથે જ તે કસૌલી પહોંચે છે.અભિમન્યુને જોઈને અભિર ખુશ થઈ જાય છે. તે કહે છે, “મારા સુપરહીરો આવી ગયા છે”.અભિમન્યુ અભિનવ સાથે વાત કરે છેં અને તેની સારવાર શરુ કરે છેં . અભિનવના ઘા સાફ કર્યા પછી, અભિમન્યુ અને અભિર દવા ખરીદવા બજારમાં જાય છે.

અભિરનું ધ્યાન હટાવવા માટે, અભિમન્યુ તેને અભિનવ સંબંધિત પ્રશ્નો પૂછે છે. ત્યારે અભિર કહે છે, “હું મારા પાપાને ખૂબ પ્રેમ કરું છું. તેઓ 12 કલાક ડ્રાઇવ કરે છે જેથી હું સારી સ્કૂલમાં ભણવા જઈ શકું. મારા પાપા ખૂબ સારા છે. તેમને કંઈ થશે તો નહીં ને?? ”

 

View this post on Instagram

 

A post shared by YEH RISHTA KYA KEHLATA HAI (@abhira__universe_)


અક્ષરા અને અભિમન્યુ આવશે એકબીજાની નજીક..

અભિમન્યુ અને અભિર દવા લઈને ઘરે પહોંચે છે. અભિમન્યુ અભિનવને ઇન્જેક્શન આપે છે અને તેનું ડ્રેસિંગ કરે છે. અભિમન્યુ અક્ષરાને સાંત્વના આપે છે કે અભિનવ થોડી જ વારમાં ફરી હોશમાં આવશે. અભિર બેચેન થઈ જાય છે પણ અક્ષરા અભિરને શાંત કરે છે અને તેને ખવડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, અભિર અક્ષુની વાત માનતો નથી.

અભિનવની તબિયત ફરી એક વાર બગડવા લાગે છેં આથી અભીર ડરી જાય છે.અક્ષરા પણ પરેશાન થઈ જાય છેં ત્યારે અભિમન્યુ કહે છે, “હું જોઈ રહ્યો છું, અક્ષુ…અક્ષરા.” અભિર કાન્હાજી પાસે જાય છે અને કહે છે, “જો તમે મારા પાપાને સાજા નહિ નહીં કરો તો હું ક્યારેય તમારી પૂજા નહીં કરીશ.”

અક્ષરા અભિમન્યુને અભિ કહીને બોલાવશે..

આગળ બતાવવામાં આવ્યું છે કે અભિનવની સારવાર કર્યા પછી, અભિમન્યુ ઘરે જઈ રહ્યો છે. પછી અક્ષરા પાછળથી ફોન કરે છે અને કહે છે, ” થૅન્ક યુ અભિ”. આ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આગામી એપિસોડમાં અક્ષરા અને અભિમન્યુ વચ્ચેની નિકટતા વધશે.બન્ને એકબીજાની વધારે નજીક આવી જશે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *