ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં એક રસપ્રદ ટ્વિસ્ટ આવવાનો છે. આવનારા એપિસોડમાં અક્ષરા, અભિમન્યુ અને અભિનવ ફરી એકવાર મળવા જઈ રહ્યા છે.
આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અભિનવ અભિમન્યુને તેની સાથે લગ્નમાં લઈ જાય છે.અભિમન્યુ લગ્નમાં નીલમ માને મળે છે. નીલમ મા અભિમન્યુને પણ લગ્નમાં આવવાનું ઇન્વિટેશન આપે છેં અને અભિમન્યુ ત્યાંજાય પણ છેં. આ પછી જ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે. એક તરફ, અક્ષરા અભિમન્યુને સંભળાવે છેં અને બીજી તરફ અભિમન્યુ, અભિનવને સચ્ચાઈ કહે છે.
અક્ષરાના કારણે અભિમન્યુને દુઃખ થશે
એપિસોડની શરૂઆત અભિનવે અભિમન્યુને પહારી શૈલીમાં લગ્ન માટે તૈયાર કર્યા સાથે થાય છે.બંને એક સરખા કપડા પહેરીને લગ્ન સ્થળે પહોંચે છે.બંનેને જોઈ અભિર ચોકી જાય છેં. અક્ષરા પણ પાછળથી અભિમન્યુને અભિનવ સમજી બેસે છેં જેના કારણે તેં તેને બોલવા લાગે છેં.
View this post on Instagram
એટલું જ નહીં, અભિમન્યુને અભિનવ માનીને, તે સ્પષ્ટપણે તેને અભિમન્યુને તેના પરિવારથી દૂર રહેવાનુ કહે છે. અક્ષરાના આ શબ્દો સાંભળીને અભિમન્યુ દુઃખી થાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે.
અભિમન્યુ નશામાં થશે ધુત
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે અભિમન્યુ અભિનવને સચ્ચાઈ કહે છેં. હકીકતમાં, એપિસોડના અંતે, અભિનવ અને અભિમન્યુ સાથે સમય પસાર કરતા જોવા મળે છે.આ દરમિયાન બંને દારૂ પીવે છે અને નશો કરે છે.
બંને, નશાની હાલતમાં, અક્ષરા વિશે વાત કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન, અભિમન્યુ અભિનવને અક્ષરા વિશે સત્ય કહે છે.અભિમન્યુના મોઢેથી આ બધી વાતો સાંભળીને અક્ષરા ચોંકી જાય છે. હવે આગળ શું થશે તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે..
Leave a Reply