યશ, કીર્તિ સમૃદ્ધિ અને વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ધારણ કરો આ પવિત્ર માળા

માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુ ધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે. માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે.શાસ્ત્રોમાં તુલસી ના છોડ ને પવિત્ર છોડ કેહવામાં આવ્યો છે. ઘરમાં તુલસી ના છોડ ને રાખવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે. તેથી તેની આયુર્વેદિક ઔષધી નું નામ પણ આપવામાં આવ્યું છે

તેમાં એક વિશેષ પ્રકારની વિદ્યુતશક્તિ હોય છે. જે પહેરવા વાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે.તુલસી ની માળા ને પહેરવાથી મન અને આત્મા પવિત્ર થાય છે. તમે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના ભક્તોને તુલસીની માળા ધારણ કરતા જોયા હશે. રોજ તુલસી જલ અને દીપક કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ તુલસીની માળા પોતાના ગળામાં ધારણ કરવી જોઈએ.તુલસી, માતા, રુદ્રાક્ષ, સ્ફટીક, ચંદન વગેરે અનેક પ્રકારની માળાઓ હોય છે. જેના લાભ પણ જુદા જુદા હોય છે, પરંતુ તુલસીની માળાને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો તેમાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે.

એટલે તુલસીની માળા ધારણ કરવી જોઈએ. આ માળામાં એક વિશેષ પ્રકારની વિદ્યુતશક્તિ હોય છે. જે પહેરવા વાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તુલસીની માળા પહેરી અને ભોજન કરવામાં આવે તો તે વ્યક્તિને ઘણા યજ્ઞો કરવાનો પુણ્ય પ્રાપ્ત થાય છે. આ કારણથી વૃદ્ધ તેને ગળામાં પહેરે છે.

એવું પણ માનવામાં આવ્યું છે કે તેને પહેરવાથી યશ, કીર્તિ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે.તેમાં ઔષધીય ગુણો હોવા ના લીધે પહેરવા વાળાને માથાનો દુખાવો, શરદી અને ત્વચાના રોગો નથી થતા. તેને ધારણ કરતા પહેલા એક વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ વ્યક્તિને લસણ અને ડુંગળીનું સેવન ના કરવું. જે કોઈ તુલસીની માળા ધારણ કરે છે

તેને માંસ મદિરાથી દૂર રહેવું નહીં તો તેનાથી તે વ્યક્તિને અપરાધ લાગે છે.આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તેને ધારણ કરવાવાળાને અકાલ મૃત્યુ અને કોઈ હાનિકારક બીમારી નથી થતી. ગળામાં તુલસી માલા પહેરવાથી ધ્વનિ સંવાદિતા બને છે અને તેની સાથે હૃદય પર ઝૂલતી તુલસી માલા હૃદય અને ફેફસાને રોગોથી સુરક્ષિત રાખે છે.તુલસી કાષ્યમાલા ધારણ કરવામાં અપવિત્રતા પ્રાપ્ત થતી નથી.

કેમ કે તે બ્રહ્મ સ્વરૂપિણી છે. તુલસી કાષ્ટ માલાઓ હ્યદયમાં ધારણ કરી મરણ પામે છે, તો તે મરણ પામનાર પાપયુક્ત હોય તો પણ યમરાજાના દુતો તેઓની સામે પણ જોઇ શકતા નથી. જે કૃષ્ણ ભક્ત હોય છે અને પોતાના ગુરુથી દીક્ષિત હોય છે તે ત્રણ સેરવાળી તુલસીની માળા અને જે દીક્ષિત નથી હોતા તે બે સેરવાળી તુલસીની માળા ધારણ કરી શકે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *