લીલા પાનવાળા શાકભાજી તો તરોતાજા જોવા મળે છે. આ લીલા પાનવાળા શાકભાજી આપણા શરીર માટે ખુબ જ પોષ્ટિક આહાર માનવામા આવે છે,જેમાં પાલક, મેથી, તાદંરજો, સુવાભાજી, ચણાભાજી વગેરે ના સેવન થી શરીરને જોઈતા પ્રમાણમા પ્રોટીન્સ, વિટામિન્સ તેમજ મિનરલ ના તત્વો મળી રહી છે. પરંતુ આ પ્રકાર ની તમામ ભાજી ને બનાવવાની એક ખાસ રીત હોય છે.
આ ભાજીને બનાવતા વખતે બરાબર પકાવવાની હોતી નથી જો ભાજી થોડી કાંચી રહે તો તેમાં રહેલા ગુણ ઘર્મો જાળવી રહે છે. તો આજ ના આ આર્ટીકલ માં આપણે જાણીશું કે કેવી રીતે આ ભાજીને બનાવવી જોઈએ તેમજ તેના સેવન થી શરીર ને કેવા-કેવા લાભ થાય છે.જો તમને ખ્યાલ ન હોય તો જણાવી આપીએ કે આ ભાજીમા ડુંગળી નાખીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ની તકલીફ દૂર થાય છે.
આ સાથે જ તેમા ગૈલોપ્ટોમાઈનન નામક તત્વ મળી આવે છે જે હૃદય ને સ્વસ્થ તેમજ સારી રીતે કાર્યરત રહે તે માટે કામ કરે છે.તેમાં રહેલા ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વો શરીમા રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢવાનું કામ કરે છે. કબજિયાત ની તકલીફ મા પણ આ ભાજી મહત્વ ની ભૂમિકા ભજવે છે. આ સિવાય ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો આ ભાજી કોઈ ઔષધી થી કમ નથી.
તેમના માટે તો આ એક સંજીવની જડીબુટી જેવું કામ કરે છે. આ ભાજી ના નિયમિત સેવન થી અથવા તો અઠવાડિયા ના અમુક દિવસો માં સેવન કરવાથી સુગર લેવલ નિયંત્રણ મા રહે છે. તેના બીમા એમિનો એસિડ પણ મળી આવે છે. આ ભાજી ને જુદી-જુદી રીતે લોકો ઉપયોગ માં લઈને તેનું સેવન કરતા હોય છે.
જો તમારે અડધો કિલો લીલી મેથીની ભાજી બનાવવી છે તો તેમા માત્ર ને માત્ર બે ચમચી તેલમા જીરું અને ૧૫ થી ૨૦ લસણની કળીઓને જીણી કાતરીને તેનો વધાર કરવો,તેમા નમક અને હળદર તમારા સ્વાદ પ્રમાણે ભેળવીને ખાલી ૫ થી ૭ મિનિટ સુધી જ આ ભાજીને પાકવા દો.
આ રીતે તૈયાર કરેલી ભાજી ખુબજ ગુણકારી માનવામાં આવે છે.ત્યારબાદ આ રીતે ભાજી બની ગયા બાદ તેમાં ઉપરથી તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ રસ ઉમેરવા થી ભાજીની કડવાશ પણ દૂર થાય છે અને તેનો સ્વાદ પણ કઈક જુદો જ લાગે છે.આ સિવાય ભાજી ને જુવાર અથવા તો બાજરા ના લોટ મા ભેળવીને તેના થેપલા બનાવીને પણ ખાઈ શકાય છે.
આ સિવાય તેને જીણી સમારીને તેમા લીબું નો રસ, બે ચમચી બેસન અને નમક નાખી એક ચમચી તેલમા થોડી મિનિટ સાંતળીને ખાવાથી પણ તેમા રહેલા પોષકતત્વો તમને મળી રહે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…