સ્ટાર પ્લસની એકદમ પોપ્યુલર સિરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે.રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનીત ‘અનુપમા’ની આખી સ્ટોરી આજકાલ નાની અનુની આસપાસ ફરે છે..
શોમાં બતાવવામાં આવશે કે છોટી અનુ અનુજ અને અનુપમાને છોડી દેશે. પણ તેના ગયા પછી અનુજ અને અનુપમા વચ્ચે અંતર આવી જશે.આ અંતરો એટલી હદે વધી જશે કે અનુજ તેનો 26 વર્ષનો પ્રેમ ભૂલી જશે અને દરેક બાબત માટે અનુપમાને દોષ આપશે. આને સંબંધિત, રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’નો પ્રોમો વીડિયો પણ રિલીઝ થયો છે, જેણે ચાહકોના દિલ પણ તોડી નાખ્યા છે.
અનુપમામાં હાલમાં એક ઈમોશનલ ટ્રેક ચાલી રહ્યો છે. છોટીના જવાથી અનુજ અને અનુપમા વચ્ચેનું અંતર વધી રહ્યું છે.અનુના જવાથી બંને ખુબ જ દુઃખી છે. અનુજ છોટીના જવાનું કારણ અનુપમાને માને છે.તે અનુપમાને કહે છે કે તારા કારણે મારું જીવન બરબાદ થઈ ગયું.
તે અનુપમાને કહે છે કે તારી પાસે તો તારો સંપૂર્ણ પરિવાર છે અને ત્રણેય બાળકો છે પણ માત્ર હું જ એકલો રહી ગયો..તમારા કારણે મારા પોતાના લોકો દૂર થઈ ગયા છે.અનુજની વાત સાંભળીને અનુપમા ભાંગી પડે છે. તેને લાગે છે કે આખો પરિવાર અલગ પડી ગયો છે.
માયા અનુપમા અને અનુને અલગ કરવાના પ્લાનમાં સફળ થઇ ગઈ છે. અનુજ આ બધા માટે અનુપમાને જવાબદાર માને છે. તેને લાગે છે કે અનુપમા છોટીને પ્રેમ કરતી નથી એટલે તેણે માયાને આપી દીધી.અનુજે અનુપમાં સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે.અનુજ અને અનુપમાનો સંબંધ તૂટવાની અણી પર છે.
અનુજ અનુપમાને દગો આપશે
અનુજ કોઈને જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી જાય છે. આ જાણ્યા બાદ કાપડિયા હાઉસે ખળભળાટ મચી ગયો છે. જ્યાં ઘરના બધા લોકો પરેશાન થઈ જશે. આ દરમિયાન, અનુપમા હાર માનશે નહીં અને અનુજને શોધવાનો પ્રયાસ કરશે. તે કહે છે કે હું મારા પતિને પાછો મેળવીશ. અનુજ નાની અનુને મળવા માયાને મળે છે. તે માયાને કહે છે કે તેને નાની અનુને મળવું છે.
જોકે અનુપમાને આ બધી બાબતોની બિલકુલ જાણ નથી. અનુપમા ફરી એકવાર અનુજ દ્વારા છેતરાઈ જવાની છે. શું અનુપમા અનુજને માફ કરી શકશે? શું અનુપમા અનુને પાછી લાવી શકશે? અનુપમા તેના વિખરાયેલા પરિવારને કેવી રીતે બચાવશે? મેકર્સનો આગામી ટ્વિસ્ટ દર્શકોને પસંદ આવી રહ્યો છે.
Leave a Reply