નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે.યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે અભિમન્યુ અક્ષરાને તેના જીવનમાં પાછા ફરવાનું કહે છે.
અક્ષરા કહે છે કે તે તેના જીવનમાં આગળ વધી ગઈ છે પરંતુ અભિ કહે છે કે જો તે સાચું હોય તો તે અકસ્માત વખતે તેને ગળે કેમ લગાવી દીધો હતો???જ્યારે કુંડળી ભાગ્યમાં, શો 6 મહિનાનોં લિપ લેશે અને આ સમય દરમિયાન ઋષભે લુથરા કંપની પાછી લીધી છે અને નિધિ લુથરા પરિવારનો એક ભાગ બની ગઈ છે.
અભિનવ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે..
આજના એપિસોડમાં, તમે જોશો કે બહાર નીકળતી વખતે, અક્ષરા અભિમન્યુને પૂછે છે કે જો તે દિવસે તે મૃત્યુ પામી હોત, તો શું તે નીલને છોડી દેત?? અભિમન્યુ જવાબ આપતો નથી.અક્ષરા ભાગીને અભિનવને ગળે લગાવે છે અને અભિનવ તેને પકડીને ગળે લગાવે છે.
જે પછી અક્ષરા અભિનવને તેના ઘરે જવાનું કહે છે પરંતુ અભિમન્યુના શબ્દો હજુ પણ અભિનવના દિલ અને દિમાગમાં ઘૂમી રહ્યા છે.
બીજી તરફ, અભિમન્યુ ઘણા બધા પ્રશ્નો સાંભળીને બેચેન થઈ ગયો..તેને અક્ષરાના પ્રશ્નો અને નીલના મૃત્યુનું દ્રશ્ય યાદ આવ્યું..તે બેહોશ થઈને રસ્તા પર પડી જાય છે અને વાવાઝોડામાં તે ખાઈના કિનારે પહોંચે છે અને તેં ખાઈમાં પડવાનો જ હતો એટલામાં જ આરોહી ત્યાં આવીને તેને બચાવે છે.
આ દરમિયાન અક્ષરા કસૌલી પહોંચી અને પોતાનું ઘર સાફ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ અભિનવ સંપૂર્ણપણે ભાંગી પડે છે. જ્યારે અમ્મા તેને કારણ પણ પૂછે છે તો તે બધું જ કહી દે છે. અમ્મા કહે છે કે જો ખરેખર એવું હોત તો તે તમારી સાથે ન આવી હોત.
અંજલિ કરણ અને પ્રીતા પર હુમલો કરે છે..
કુંડળી ભાગ્યમાં અંજલિ પાછી આવી અને તેણે આવતાની સાથે જ તેની બહેન નિધિ પર હુમલો કર્યો. કરણને અંજલિ વિશે જાણ કરવા નિધિ ટેક્સી લઈને લુથરાના ઘરે જાય છે..નિધિને ખબર નથી કે કરણ અને પ્રીતા ઘરે નથી.આ દરમિયાન, કરણ અને પ્રીતા બાળકોને રસી અપાવે છે અને તેમની કાર રિપેર કરે છે. જ્યારે અંજલિ તેમના પર હુમલો કરે છે ત્યારે તેઓ ઝડપથી ભાગી જાય છે અને પ્રીતા પાસેથી બાળક છીનવી લે છે.
અંજલિને જેલમાંથી બહાર જોઈને કરણ અને પ્રીતા બંને ચોંકી જાય છે અને તેને પૂછે છે કે તે અહીં શું કરી રહી છે.?? અંજલિ તેમના પર હુમલો કરે છે. હસે છે, તેમને કહે છે કે આ તે દિવસ છે જ્યારે તેણે જેલમાંથી ભાગી જવાની યોજના બનાવી હતી અને તેઓ બંને લાંબા સમયથી તેમના દીકરા સાથે છે પરંતુ હવે તેનો વારો છે..
Leave a Reply