વ્યક્તિની કમાણી ઓછી થતી હોય, તો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તિજોરીનો આ ઉપાય જરૂર કરો..

પૈસા કમાવવા માટે દરેક વ્યક્તિ ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના પરિવારની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઘણી બધી મહેનત કરતો હોય છે. તે પરિવારની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે પૈસા કમાવવા માટે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે.

દરેક વ્યક્તિ સોપારી વિશે જાણતો હોય છે. પાન માવા મસાલામાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને ખબર ન હોય કે સોપારી ની મદદથી ધન પ્રાપ્તિના પણ ઘણા ઉપાય થઈ શકે છે. તમને સોપારી ની મદદથી ધનપ્રાપ્તિ કઈ રીતે કરી શકાય તે વિશે જાણકારી આપવાના છીએ.

ઘણા બધા લોકો સોપારી ની મદદથી દરેક વસ્તુની જાણકારી પ્રાપ્ત કરતા હોય છે. ઘણા તાંત્રિકો પણ સોપારી ના ઉપાય કરતા હોય છે. તેનો ઉપયોગ લગ્નજીવનમાં થતી તમામ સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવતા હોય છે.

અમુક સોપારી ના ઉપાય કરવાથી વ્યક્તિને ધન પ્રાપ્તિ થવાની પૂર્ણ શક્યતાઓ રહેતી હોય છે. ઘણા લોકોના જીવનમાં વાસ્તુ દોષ હોય છે. તે વાસ્તુદોષ દૂર કરવા માટે તે સોપારી ના ઉપાય કરતા હોય છે. અને તે વાસ્તુ દોષના કારણે તેમના ઘરમાં પૈસા ટકી શકતા નથી.

આ સમસ્યા દૂર કરવા માટે તમારે સૌ પ્રથમ પાંચ નંગ સોપારી લેવાની છે. તેને પોતાની તિજોરીમાં રાખી લેવાની છે. આ ઉપાય શુક્રવારના દિવસે કરવાથી પૈસા ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો કોઈના ઘરમાં વાસ્તુદોષ હોય તો તે દૂર થાય છે. જો કોઈપણ વ્યક્તિને ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેને સુધારવા માટે વ્યક્તિએ પાંચ નંગ સોપારી લઇ અને તેની તિજોરીમાં મૂકી દેવી જોઈએ.

આમ કરવાથી તે વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે. તે ઉપરાંત બુધવારના દિવસે સોપારી અને એક પાન લઇ અને ગણપતિ દાદા ને અર્પણ કરવું જોઇએ. આમ કરવાથી વ્યવસાય તેમ જ ધંધામાં ચાલતી મંદી દૂર થાય છે. નોકરીમાં ફાયદો પ્રાપ્ત થઈ છે.

તે ઉપરાંત જ્યારે ગણેશ ચતુર્થી નો ઉત્સવ આવે છે. ત્યારે ગણેશજીને સોપારી અર્પણ કરવી જોઈએ. તે ઉપરાંત સિદ્ધ મંત્રોનો પાઠ 108 વાર જાપ કરવાથી અને સોપારી અર્પણ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. અને ભગવાન ગણેશને કંકુ અને સિંદૂર ચઢાવવું.

સંપત્તિમાં વધારો :- આમ કરીને લાલ કલરના કાપડમાં સોપારી વીટી અને તિજોરીમાં રાખી દેવી. આમ કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. જો કોઈ પણ શુભ કે નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો તમારે સૌ પ્રથમ ભગવાનને સોપારી અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય છે.

વ્યક્તિ ની કમાણી ઓછી હોય તો :- જો કોઈ પણ વ્યક્તિ ની કમાણી ઓછી હોય તો તેમને સોપારી અને કપૂર બંનેને એક કાપડમાંથી અને ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખી દેવું. આનાથી ઘરમાં આવતી દરેક ખરાબ નજર દૂર થાય છે. એક પાન ઉપર સાથીયો બનાવી અને તેને તેની ઉપર સોપારી રાખી અને ઈશ્વરને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનના તમામ કામ સફળ થાય છે.

સોપારી અને લવિંગ :- કોઈપણ વ્યક્તિના જીવનમાં સતત નિષ્ફળતા આવતી હોય તો તેના માટે સોપારી અને લવિંગનો આ ઉપાય કરવો જોઈએ. સોપારી અને લવિંગને ચાંદીની ડબ્બામાં રાખીને પૂનમના દિવસે આ ઉપાય કરવો જોઈએ. શનિવારની રાતે પીપળાની પૂજા કરવી જોઈએ અને એક રૂપિયાના સિક્કા ની સાથે શનિવારની રાત્રે પીપળા ની પાસે સોપારી મૂકી દેવી જોઈએ.

બીજા દિવસે તે વૃક્ષના પાન તોડી અને સોપારી અને સીક્કા અને પાન ઉપર લાલ કલર ના દોરા બાંધી દેવા જોઈએ. ત્યારબાદ આ દરેક વસ્તુને તમારા ઘરની તિજોરીમાં મૂકી દેવી જોઈએ. આમ કરવાથી ધંધામાં પ્રગતિ થશે. ધનલાભ થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *