ભોજન અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દર્શાવવાના કારણે વ્યક્તિ અજાણતા એવી અનેકવિધ બીમારીઓ ને આમંત્રણ આપી દે છે, જે પાછળથી તેના માટે એક વિકરાળ સમસ્યા નુ સ્વરૂપ ધારણ કરે છે.આ સ્થિતિમા દૈનિક ભોજનમા શામેલ સૂર્યમુખી ના બીજનુ સેવન એ તમારા માટે વરદાન થી કમ સાબિત થશે નહીં.
વિશેષ તો સ્ત્રીઓ માટે આ બીજ નુ સેવન તમને અનેકવિધ બીમારીઓમાંથી મુક્તિ અપાવી શકે છે, તો ચાલો જાણીએ કેવી રીતે. તમને આ વાત નો ભાગ્યે જ ખ્યાલ હશે કે, સો જેટલા વિવિધ પ્રકાર ના ઉત્સેચકો એ સૂર્યમુખી ના બીજમા સમાવિષ્ટ જોવા મળે છે, તે વ્યક્તિ ના શરીરમા આંતરસ્ત્રાવીય સંતુલન ને નિયંત્રિત કરવામા સહાયરૂપ સાબિત થાય છે.
સ્ત્રીઓ માટે સૂર્યમુખી ના આ બીજ નુ સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.આ બીજ નુ નિયમિત સેવન કરવાથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના ઉત્પાદન સંતુલિત રહે છે તથા પ્રિમેન્સ્યુરલ સિન્ડ્રોમ અને થાઇરોઇડના લક્ષણો નુ સંચાલન કરવામા પણ મદદ મળી રહે છે.
ફક્ત એટલુ જ નહી આ બીજ નુ સેવન કરવાથી તમને અનેકવિધ રોગો સામે રક્ષણ મળી શકે છે.પ્રવર્તમાન સમયમા દર બીજી સ્ત્રી એ તેના વધતા જતા વજન અથવા તો મેદસ્વીપણા ની સમસ્યા ના કારણે પરેશાન છે પરંતુ, તમારી આ સમસ્યાનુ સમાધાન સૂર્યમુખી ના બીજ સરળતાથી કરી શકે છે.
તેમા પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે,જેના કારણે તમારુ હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે, તે તમારા શરીરમા રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢીને તમારી બોડી ને ડિટોક્સ પણ કરે છે. આ બીજ નુ સેવન કરવાથી શરીર ની ચયાપચય ની ક્રિયા પણ વધુ પડતી મજબુત બને છે.
આ બીજ એ તમારા ખરાબ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામા તેમજ તમારી ભૂખ ને નિયંત્રણમા રાખવામા મદદરૂપ સાબિત થાય છે. આ બીજ નુ સેવન કરવાથી તમને તમારુ પેટ ભરેલુ જ લાગે છે જેથી, તમે કસમયે કોઈ ભોજન નુ સેવન કરતા નથી.આ બીજનું સેવન કરવાથી પાચક સિસ્ટમ મજબુત બને છે અને તમારુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
આ બીજમા હાજર ઉત્સેચકો એ પાચન રસ ના સ્ત્રાવ ને નિયંત્રિત કરે છે અને શરીરમાથી બિનજરૂરી ઝેરી દ્રવ્યો ને દૂર કરે છે. તેનાથી તમારી કબજિયાત ની સમસ્યા પણ દૂર રહે છે. જો તમે નિયમિત આ બીજ નુ સેવન કરો છો તો તમારા શરીરમા રક્ત પરિભ્રમણ ની ક્રિયા યોગ્ય રીતે થાય છે અને તમારા શરીરમા ક્યારેય પણ રક્ત ની ઉણપ સર્જાતી નથી.
Leave a Reply